ટીબીના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા અપાશે રૂા.૫૦૦/- પ્રોત્સાહક રકમ

New Update
ટીબીના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા અપાશે રૂા.૫૦૦/- પ્રોત્સાહક રકમ

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ટી.બી. ના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા રૂા.૫૦૦/- પ્રોત્સાહકરકમ આપવામાં આવશે.

ભારત સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરાયેલ પરિપત્ર મુજબ સમાજમાંથી ટી.બી.ના દર્દીઓ વધુને વધુ શોધાય તે માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યાનુસાર જાહેર ક્ષેત્રમાં શંકાસ્પદ દર્દીને શોધી તેનું લેબોરેટરીમાં નિદાન કરાવી જો ટી.બી.નું નિદાન થાય તો તે દર્દી શોધી લાવનારને સરકારશ્રી તરફથી રૂા.૫૦૦- પ્રોત્સાહન રૂપે મળશે જેમાં આશાવર્કર કે, કોઈપણ જાણ કરનાર (જાહેર ક્ષેત્રમાં કોઈપણ પગારદાર વ્યક્તિ) (રેગ્યુલર કોન્ટ્રાકચ્યુઅલ ) ના હોવો જોઈએ, એવા દર્દી જાહેર ક્ષેત્ર કે પ્રાઇવેટ ક્ષેત્રમાં નોંધાયેલા ના હોવા જોઈએ એમાં તમામ આશાવર્કર કે સહાયક તરીકે ગણાશે.

જો દર્દી જાતે સ્વ પરીક્ષણ(ગળફો,એક્ષ-રે ટીબીની તપાસ કરાવે અને દર્દીનુ જો ટીબીનું નિદાન થાય તો પ્રોત્સાહક રકમ રૂપે રૂા.૫૦૦/- મળશે આ પ્રોત્સાહનના નાણાં મેળવવા જરૂરી માહિતી અને તેની સાથે નિયત ફોર્મ તેમજ જાણ કરનાર વ્યક્તિના આધાર નંબર તથા બેંક એકાઉન્ટની માહિતી આપવાની રહેશે જેથી તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થશે તેમ જિલ્લા ક્ષય અધિકારી, જીલ્લા ક્ષય કેન્દ્ર,પેટલાદ જી-આણંદ દ્વારા જણાવાયું છે.

Read the Next Article

બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન

મોનસૂનની અડધી સિઝન વીતી ગઇ પરંતુ રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં પુરતા પ્રમાણમાં વરસાદ નથી પડ્યો અથવો તો કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદની ઘટ છે.

New Update
varsad

મોનસૂનની અડધી સિઝન વીતી ગઇ પરંતુ રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે જ્યાં પુરતા પ્રમાણમાં વરસાદ નથી પડ્યો અથવો તો કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદની ઘટ છે.

 નોંધનિય છે કે, ધમાકેદાર શરૂઆત બાદ ચોમાસાની ગતિમાં ઘટાડો થતાં ઓગસ્ટના પ્રથમ 10 દિવસમાં સીઝનનો માત્ર બે ટકા જ વરસાદ વરસ્યો છે. આ સીઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 40, તો પૂર્વ મધ્યમાં 21 અને ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ વરસાદ વરસ્યો છે. ...આ મહિનામાં સૌથી વધુ ગઈકાલે વલસાડમાં છ ઈંચ વરસાદ વરસ્યો

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી મોનસૂન પર બ્રક લાગી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વર્તાઇ રહી છે. જેથી ખેડૂતો ચિંતિત છે. પરંતુ રાહતની વાત એ છે કે, 16 ઓગસ્ટથી ફરી સારા વરસાદનું અનુમાન છે.

અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ  વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એકિટવ થવા જઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે, હવામાન વિભાગની આગાહી મુજબ આ રાઉન્ડમાં 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં  સારો વરસાદ વરસી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

આજે કયાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગના આંકલન મુજબ 12 ઓગસ્ટથી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર વધશે. 16થી 23 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી છે.સાઈક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ સક્રિય થતા આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે પવન  ફૂંકાઇ શકે છે. શનિવારે અમદાવાદ શહેરના મહતમ અને લઘુતમ તાપમાનમાં 5 ડિગ્રીનો  વધારો નોંધાયો હતો.

Latest Stories