દાદાભાઈ નવરોજી અને જમશેદજી ટાટાની નગરી નવસારીમાં પારસી સમાજ દ્વારા કરાઇ નવા વર્ષની ઉજવણી

New Update
દાદાભાઈ નવરોજી અને જમશેદજી ટાટાની નગરી નવસારીમાં પારસી સમાજ દ્વારા કરાઇ નવા વર્ષની ઉજવણી

ઈરાન થી આવી ભારતમાં દુધમાં સાકળ ભળે તેમ પારસી સમાજ ભારત દેશમાં વસવાટ કર્યો છે અને કર્મ ભૂમિ સાથે વતન ની જેમ યોગદાન આપી ઋણ અદા કર્યું છે. તેવા માયાળુ પારસી સમાજનું આજે નવું વર્ષ નિમિતે અગ્નિદેવની પૂજા કરી નવાવર્ષ નીં શુભકામનાઓ પાઠવી હતી.

એક વર્ષના 365 દિવસો હોય છે.પરંતુ પારસી સમાજમાં 360 દિવસનું વર્ષ હોય છે.ગઈ કાલે પારસીઓની પતેતી ગઈ જેમાં વર્ષ દરમિયાન જાણ્યે અજાણ્યે થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત કરે છે અને બીજા દિવસે નવાવર્ષની ઉજવણી કરે છે. પારસીઓ અગિયારી માં જઈને 24 કલાક પ્રજવલિત રેહતી અગ્નિ ની સુખડના લાકડીઓ ધરાવી પૂજા અર્ચન કરે છે. આ દિવસે બધા એક બીજાને મળીને શુભકામનાઓ પાઠવી હતી અને પારસી ભાઈ-બહેનોએ અગ્ની દેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને ૧૩૮૯ માં પારસી વર્ષની શુભકામના પાઠવી નુતનવર્ષની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.