નોટબંધી ના વિરોધ માં 28મી એ વિપક્ષનું ભારત બંધનું એલાન

New Update
નોટબંધી ના વિરોધ માં 28મી એ વિપક્ષનું ભારત બંધનું એલાન

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણ માંથી રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવતા સરકાર ના આ નિર્ણય સામે વિપક્ષો એક જુથ્થ થઇ ને ઉગ્ર લડત આપી રહ્યા છે, અને આગામી 28મી નવેમ્બર ના રોજ ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યુ છે.

રૂપિયા 500 અને 1000ની નોટ ચલણ માંથી રદબાતલ કરવામાં આવતા લોકો માટે આ ચલણ હવે કાગળ બની ગયુ છે, પરંતુ છુટા રૂપિયા અને બેંકો માંથી નાણાં બદલાવવા માટે લોકોને પડી રહેલી હાડમારી બાદ વિપક્ષ દ્વારા સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે.

સંસદ માં ચાલી રહેલા શિયાળુ સત્ર માં પણ વિપક્ષે હંગામો કરીને ગૃહ બંધ રહેવાની ફરજ પડી હતી, વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી ગૃહ માં આ અંગે નિવેદન આપે અને નિયમ 156 હેઠળ ચર્ચા કરે તેવી માંગ કરી છે.

વિપક્ષે મોદી સરકાર સામે મોરચો માંડી ને જંતર મંતર ખાતે પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ધરણા કર્યા પણ કર્યા હતા. 13 જેટલા રાજકીય પક્ષો ના 200 થી વધુ સાંસદો એ ગાંધી સ્ટેચ્યુ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. અને આગામી તારીખ 28મી નવેમ્બર 2016 સોમવાર ના રોજ ભારત બંધનું એલાન આપ્યુ છે.

Latest Stories
    Read the Next Article

    ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

    ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

    New Update
    MixCollage-27-Jul-2025-08-53-PM-5345

    ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

    અકસ્માત સર્જવાનું કારણ ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની સાઈડ પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

    કારમાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય ૩ લોગો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.  સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ ખરાબ રસ્તો નિર્દોષ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બને છે. 

    Latest Stories