પાલેજ : પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા લોકોને જાગૃત કરાયાં

New Update
પાલેજ : પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા લોકોને જાગૃત કરાયાં

દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જયંતિ નિમિત્તે પાલેજની શાળાના વિદ્યાર્થીઓએ જનજાગૃતિ રેલી યોજી હતી. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણને થઇ રહેલા નુકસાનને અટકાવવાના એક સુંદર સંદેશ લોકો સુધી પહોચાડ્યો હતો.

નગરના વિવિધ માર્ગો પરથી પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો, પર્યાવરણને બચાવો જેવા નારા લગાવવામાં આવ્યાં હતાં. નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઇ હાઇસ્કૂલ પરત ફરી રેલીનું સમાપન કરાયું હતું. રેલીમાં હાઇસ્કૂલના આચાર્ય સલીમ જોલી તેમજ શિક્ષકોરેલીમાં જોડાયાં હતાં.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

Latest Stories