ભરૂચ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું કરાયું લોકાર્પણ

New Update
ભરૂચ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું કરાયું લોકાર્પણ

ભરૂચ ખાતે રાજ્યના બીજા સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું હાઈકોર્ટના કાર્યકારી મૂખ્ય ન્યાયમૂર્તિ અનંત દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જાતિય ગુનાઓ સહિતના વિવિધ ગુનાઓમાં ભોગ બનનારા અને બાળ સાક્ષી તથા વિવિધ જઘન્ય ગુનાઓમાં ભોગ બનનાર વિશિષ્ટ વર્ગ ક્રે જેઓને કેસના બચાવપક્ષ તરફ્થી થતા અનુચિત પ્રભાવ કે દબાણ સામે રક્ષણ આપવાની જરૂર છે તેઓ માટે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર કાર્યરત કરાશે. સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર હેઠળ બાળ સાક્ષી કે ભોગ બનનાર માટે કોર્ટ રૂમમાં પ્રવેશ માટેની એક વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જેથી આરોપી પક્ષ તરફ્થી મળતા દબાણ અથવા પ્રભાવથી બચાવી શકાય.સાથી જુબાની કક્ષ ઉપર નજર રાખવા માટે એક નાનું ડીસ્પ્લે યુનિટ પણ ત્યાં રખાયું છે.

એકટીંગ ચિફ જસ્ટીશ ઓફ ગુજરાત અનંત દવે, ન્યાયમુર્તિ આર.એમ.છાયા,ન્યાયમુર્તિ સોનિયા ગોકાણી,ન્યાયમુર્તિ એન.વી.અંજારીયાના હસ્તે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. ઉદ્દ્ધાટન પ્રસંગે ભરૂચ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ ઉત્કર્ષ દેસાઇ, એડી.જિલ્લા ન્યાયાધિશ અને સ્પેશ્યલ પ્લોસ્કો જજ સમીર વ્યાસ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.