ભરૂચ: NH 48 પર અસુરીયા પાટીયા નજીક અકસ્માત બાદ ટ્રકચાલક કેબિનમાં ફસાયો, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવાયો

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અસુરીયા પાટિયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.

New Update
acc asuriya

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર અસુરીયા પાટિયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.

આ અંગેની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું