ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: GIDC પોલીસે ભંગારના શંકાસ્પદ જથ્થા સહિત રૂ.2.34 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનનો સ્ટાફ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમા હતા.

New Update
GIDC પોલીસે

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનનો સ્ટાફ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમા હતા.

તે દરમ્યાન બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી કર્માતુર ચોકડી ખાતેથી એક થ્રી વ્હીલ ટેમ્પો નંબર GJ-16-Z-7513 મા શંકાસ્પદ એસ.એસ.ના પાઇપો તથા બોઇલર તથા ફલેન્ચના નાના મોટા ટુકડાઓ જેનુ વજન ૬૭૦ કિ.ગ્રા જેની કુલ કિ.રૂ.૧,૩૪,૦૦૦/- તથા અતુલ શકિત થ્રી વ્હીલ ટેમ્પો નંબર GJ-16-2-7513 કિ.રૂ.૧,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૩૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે કુકાવન રેવતાવન  વન, રહે.રાજસ્થાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.