વાપીની જનસેવા હોસ્પિટલમાં ૧.ર૮ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું

New Update
વાપીની જનસેવા હોસ્પિટલમાં ૧.ર૮ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું

વલસાડ જિલ્લાના વાપી ખાતે શ્રેયસ મેડીકેર સંચાલિત એમ.એન.મહેતા હોસ્પિટલ જનસેવા મંડળમાં કિશોરભાઇ દેસાઇ સહિત વિવિધ દાતાઓના સહયોગથી રૂ.૧.૨૮ કરોડના ખર્ચે નવા મૂકાયેલા લેટેસ્ટ ટેકનોલોજીયુક્ત સીટી સ્કેન મશીનનું લોકાર્પણ વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના તેમજ સમાજસેવી ગફુરભાઇ બિલખીયાના હસ્તે કરાયું હતું.

આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે હોસ્પિટલમાં સીટીસ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપવા બદલ દાતાઓ અને હોસ્પિટલના સંચાલકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, બીમારીના ખર્ચને પહોîચી વળવા માટે મા-વાત્સલ્ય, આયુષ્માન ભારત યોજના હેઠળ પાંચ લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર આપે છે, જેનો લાભ સૌએ લેવો જાઇએ. તેમણે હોસ્પિટલની જરૂરિયાતને પહોîચી વળવા માટે અગ્રણી ઉદ્યોગપતિઓને સહયોગ આપવા અપીલ કરી હતી. હોસ્પિટલનું સુચારુ સંચાલન થાય, દર્દીઓને ત્વરિત અને સારી સેવા પૂરી પાડી અને હોસ્પિટલનું નામ ઊંચું આવે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા સંચાલકો અને ડોક્ટરોને અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી નિયમાનુસાર મળતા લાભ આપવા માટે સહયોગ આપવાની તેમણે હૈયાધરપત આપી હતી.

સમાજસેવી ગફુરભાઇ બિલખીયાએ ટ્રસ્ટીમંડળના સભ્યોની સેવાભાવનાને બિરદાવતાં જણાવ્યું હતું કે, ડૉકટરો પ્રેમાળ ભાવનાથી સારવાર આપે તો દર્દીનું દર્દ ઘણું ઓછું થઇ જાય છે. તેમણે કામ કરવાની ધગશ ધરાવતા યુવાન સભ્યો, ડોક્ટરો સમાજ સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, જે સરાહનીય કાર્ય કરતા હોવાનું જણાવી જનસેવા હોસ્પિટલનો વ્યાપ વધારમાં સહયોગી દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ માટે ભારત સરકારે શરૂ કરેલી આયુષ્માન ભારત યોજનાનો સૌને લાભ લેવા દેશના વિકાસ માટે ભ્રષ્ટાચારને તિલાંજલિ આપી પોતાની ફરજ સમજી દરેક કાર્ય કરે તે આવશ્યક હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

શ્રેયસ મેડિકેટરના ટ્રસ્ટી નિમીષભાઇ વશીએ જનસેવા એ જ પ્રભુ સેવાના ધ્યેય સાથે ૧૯૯૪માં શરૂ કરેલી હોસ્પિટલે દર્દીઓને સારી સેવાઓ પૂરી પાડી હોવાનું જણાવ્યું હતું. તેમણે સંસ્થાની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ હાલમાં હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. સીટીસ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ થવાથી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે ઉપયોગી પુરવાર થશે. વાપીની અન્ય હોસ્પિટલો કરતાં ઓછા ચાર્જથી સીટીસ્કેન કરી આપવામાં આવશે. હોસ્પિટલના વિકાસ માટે સહયોગ આપનારાઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. અતુલભાઇએ સીટી સ્કેન સેન્ટરની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.કિશોરભાઇ દેસાઇએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી હોસ્પિટલમાંં ઉપલબ્ધ સુવિધાની જાણકારી આપી હતી.

આ અવસરે જનસેવા હોસ્પિટલ ડોક્ટરો, પ્રમુખ નીતિનભાઇ મહેતા, ટ્રસ્ટી એલ.જે.ગર્ગ, હિન્દુસ્તાન મોટર્સના પાર્ટનર સંજયભાઇ જડીયા, બેસ્ટ પેપરમીલના રમેશભાઇ શાહ, હેમંતભાઇ દેસાઇ, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, ભાનુશાલી સમાજના અગ્રણી લાલજીભાઇ ભાનુશાલી, ભાવિન ભાનુશાલી, ટ્રસ્ટીમંડળના સભ્યો, હોસ્પિટલ સ્ટાફ વગેરે હાજર રહયા હતા.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.   

Latest Stories