વારાણસીમાં PM નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો

New Update
વારાણસીમાં PM નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો

મોદીએ મંજુરી વગર રોડ શો યોજ્યો હોવાના આક્ષેપ કરતુ કોંગ્રેસ

યુપી વિધાનસભામાં ચૂંટણીના છેલ્લા ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના બનારસ હિન્દુ યુનિવર્સિટીથી રોડ શો શરૂ કર્યો હતો,અને ત્યાં નરેન્દ્ર મોદી લગભગ 3 કલાક ચાલેલા રોડ શોમાં મોદી ખુલ્લી ગાડીમાં સવાર થઈ અસ્સી ઘાટ , મદનપુરા થઈને કાશી વિશ્વનાથ મંદિરે મોદીએ આરતી પૂજા કરી હતી,અને મોદી જૌનપુર સભા સંબોધન કરવા રવાના થયા હતા,રોડ શો દરમિયાન મોદી પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

જોકે આ અંગે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી મંજુરી વિના રોડ શો કરી રહ્યા છે.બીજી તરફ ચૂંટણી પંચે પણ મોદીના રોડ શો દરમિયાન ફૂલોનો કરવામાં આવેલા વરસાદ પર સખ્ત વલણ અપનાવતા કહ્યું કે આની પરવાનગી લીસી ન હતી તેથી કાર્યવાહી કરવામાં આવશે.

વારાણસીમાં PM મોદીના રાજકીય વિરોધીયો અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના પણ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે, આ સિવાય BSP સુપ્રીમો માયાવતીની પણ રેલી આ શહેરમાં નીકળશે.

Read the Next Article

હિમાચલ પ્રદેશ: પૂર્વ સીએમ જયરામ ઠાકુરે પીએમ મોદીને મળ્યા,આપત્તિથી થયેલા નુકસાન વિશે માહિતી આપી

પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

New Update
Jairam Thakur

હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરે સોમવારે (28 જુલાઈ) દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. જયરામ ઠાકુરે પીએમને મળ્યા અને તેમને હિમાચલ પ્રદેશના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાન વિશે માહિતી આપી

પ્રધાનમંત્રીએ આપત્તિથી થયેલા નુકસાન વિશે વિગતવાર માહિતી લીધી અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિર્માણ અને પુનર્વસનમાં શક્ય તમામ સહયોગની ખાતરી આપી.

જયરામ ઠાકુરે કહ્યું કે અમે પ્રધાનમંત્રીને કહ્યું કે આ આપત્તિમાં લોકોના ઘરો જ નહીં પરંતુ તેમની જમીનો પણ ધોવાઈ ગઈ છે, હવે તેમની પાસે ઘર બનાવવા માટે પણ જગ્યા નથી. આવી સ્થિતિમાં, અમે તેમને જમીન આપવા માટે 'વન સંરક્ષણ કાયદા'માં છૂટછાટ આપવા વિનંતી કરી. ઉપરાંત, અમે પુનર્વસન અને પુનર્નિર્માણ માટે 'વિસ્તાર વિશિષ્ટ' રાહત પેકેજ આપવા વિનંતી કરી છે.

પ્રધાનમંત્રીને હિમાચલ પ્રદેશમાં વારંવાર બનતી કુદરતી આફતોના કારણોનો અભ્યાસ કરવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય. આપત્તિ દરમિયાન રાહત અને બચાવ કાર્યમાં શક્ય તમામ સહયોગ આપવા બદલ પ્રધાનમંત્રીનો પણ આભાર માનવામાં આવ્યો.

Latest Stories