વોડાફોનના નેટવર્કથી થઇ શકશે અનલિમિટેડ કોલિંગ 

New Update
વોડાફોનના નેટવર્કથી થઇ શકશે અનલિમિટેડ કોલિંગ 

વોડાફોન ઇન્ડિયા એ શુક્રવારના રોજ તેના પ્રીપેઇડ ગ્રાહકો માટે અમર્યાદિત વોઇસ કોલિંગ સાથે બે નવા પેકની જાહેરાત કરી હતી.

વોડાફોન ઇન્ડિયાના મુખ્ય વાણિજ્યિક અધિકારી સંદીપ કટારિયાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે "અમે તાજેતરમાં સમગ્ર ભારતમાં લાગતા નેશનલ રોમિંગ મુક્ત કર્યા હતા અને હવે આ અનલિમિટેડ કોલિંગ યોજનાઓ સાથે ગ્રાહકોને વધુ લાભ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પહેલા પેક અનુસાર રૂ 144-149 માં વોડાફોન ધારકો માટે 50 MB સાથે અમર્યાદિત લોકલ તેમજ STD કોલ થશે તેમજ 4G વપરાશકર્તાઓ માટે નેશનલ રોમિંગ પરના કોલ અનલિમિટેડ ફ્રી અને 300 MB ડેટા આપવામાં આવશે.

બીજા પેક પ્રમાણે રૂ 344-349 માં સમગ્ર દેશમાં 50 MB સાથે તમામ મોબાઇલ અને લેન્ડલાઇન પરના STD અને લોકલ કોલ અમર્યાદિત થશે સાથે સાથે 4G વપરાશકર્તાઓ માટે નેશનલ રોમિંગ પરના કોલ અનલિમિટેડ ફ્રી અને 1 GB ડેટા આપવામાં આવશે.

આ બને પેક ની સમય મર્યાદા 28 દિવસની રહેશે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીઓ દ્વારા ફ્રી ઇન્ટરનેટ સર્વિસ આપવામાં આવી રહી છે જેને પગલે બીજા મોબાઈલ નેટવર્કિંગ કંપનીઓ દ્વારા પણ બજારમાં પોતાનું સ્થાન મજબૂત રાખવા માટે ઓછા ભાવે વધુ ડેટા અને સેવાઓ નવા પેકના સ્વરૂપમાં આપવામાં આવી રહી છે.

Read the Next Article

ચાલતી રોડવેઝ બસ પર ઝાડ પડ્યું, ડ્રાઇવર સહિત 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ચાલતી રોડવેઝ બસ પર એક મોટું વૃક્ષ પડ્યું. આ અકસ્માતમાં બસ ડ્રાઇવર સહિત ચાર મહિલાઓના મોત થયા.

New Update
10

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ચાલતી રોડવેઝ બસ પર એક મોટું વૃક્ષ પડ્યું. આ અકસ્માતમાં બસ ડ્રાઇવર સહિત ચાર મહિલાઓના મોત થયા.

અકસ્માતનો ભોગ બનેલી બસ બારાબંકીથી હૈદરગઢ જઈ રહી હતી. ઝૈદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હરખ ચોકડી પાસે આ અકસ્માત થયો.

આ બસ યુપી રોડવેઝમાં કોન્ટ્રાક્ટ હેઠળ ચલાવવામાં આવી રહી હતી. બસ પર ઝાડ પડતાની સાથે જ ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ. આખું ઝાડ બસ પર પડી ગયું. મુસાફરો બસની બારીમાંથી કૂદતા જોવા મળ્યા. લોકો પોતાના પ્રિયજનોને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. કેટલાક મુસાફરો બારીમાંથી બસમાં ઘૂસીને પોતાના પ્રિયજનોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

અકસ્માત બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બસ પર ઝાડ પડવાને કારણે તે રસ્તો પણ જામ થઈ ગયો હતો. અહીંથી પસાર થતા વાહનોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશો આપ્યા છે. આ સાથે મુખ્યમંત્રી યોગીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

અકસ્માત બાદ ઝૈદપુર અને સત્રીખ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ, વન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે જેસીબી મશીનોની મદદથી ઝાડ કાપીને બસમાંથી ફસાયેલા મુસાફરોને બચાવ્યા હતા.