સુરેન્દ્રનગર : રોજગાર ભરતી મેળાના રજીસ્ટ્રેશન કાર્ડ મળ્યા કચરાના ઢગલામાંથી..!

New Update
સુરેન્દ્રનગર : રોજગાર ભરતી મેળાના રજીસ્ટ્રેશન કાર્ડ મળ્યા કચરાના ઢગલામાંથી..!

સરકાર દ્વારા યુવાનોને રોજગાર મળી રહે તે માટે દર વર્ષે ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. રોજગારી કચેરી દ્વારા ભરતી મેળામાં લાખો રૂપિયાનો ખચૅ પણ કરવામાં આવતો હોય છે, પરંતુ સુરેન્દ્રનગર રોજગાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને ઉમેદવારો દ્વારા રજીસ્ટ્રેશન કરવવામાં આવતા કાડૅ ઉમેદવાર અને વિદ્યાર્થીઓને આપવાના હોય છે, પરંતુ સુરેન્દ્રનગર રોજગાર કચેરીમાં આ કાડૅ કચરામાં જોવા મળતા ઉમેદવાર અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહયુ છે.

Advertisment

બનાવની જાણ અધિકારીને કરતા તેઓએ જણાવ્યું હતું કે, કચરામાં પડેલા કાડૅ લઈને ચકાસણી કરતા કાડૅ રદ થયા ગયા હોય અને વિદ્યાર્થીઓ કે ઉમેદવારને નવા કાડૅ આપ્યા હોય તેથી આ તમામ જુના કાડૅ છે. તેમજ તેમને જૂના કાર્ડનો યોગ્ય નિકાલ કરવાનો હોય પરંતુ હાલ કાડૅ જુના અને રદ થઈ ગયા છે, જે કબજે લઈને યોગ્ય નિકાલ કરવામાં આવશે. પરંતુ રોજગાર મેળાની મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે, ત્યારે આવી રીતે ઉકરડામાંથી કાડૅ મળી આવતા અનેક સવાલો પણ ઉભા થયા છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment