Connect Gujarat
ગુજરાત

સુરત ઉધના રેલવે સ્ટેશન પાછળ લાયબ્રેરી નજીક યુવાનની કરાઇ ઘાતકી હત્યા

સુરત ઉધના રેલવે સ્ટેશન પાછળ લાયબ્રેરી નજીક યુવાનની કરાઇ ઘાતકી હત્યા
X

સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે ઉધના રેલ્વે સ્ટેશન પાછળ એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે.

મરનાર શેખ મહમ્મદ આશિફ અબ્દુલ ગફુર (ઉ.વ.૨૨) રહે લીંબાયત અમન સ્કૂલ નજીક ઇચ્છાબા સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આસિફ ચોકબજાર જનતા માર્કેટની એક દુકાનમાં મોબાઈલ રિપેરીંગનું કામ કરતો હતો. એક ભાઈ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ હત્યા પાછળ જૂની અદાવત કે લૂંટના ઇરાદે કરાઈ એ હાલ બહાર આવ્યું નથી. આશિફને ૭ થી ૮ ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હોય એમ કહી શકાય છે. હાલ ઉધના રેલવે પોલીસે આરોપીનોને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

ઉધના રેલવે સ્ટેશન પાછળ લાઈબ્રેરી નજીક યુવાનની ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગુરૂવારની મોડી રાત્રે આશિફ નામના યુવાનને ઘા મારી પતાવી દેવાયો હોવાનું હાલ રેલવે પોલીસ દ્વારા કહેવાય રહ્યું છે. ઘટના સ્થળે સ્થળે પહોંચેલી પોલીસને મૃતદેહ પાસેથી મળી આવેલી એક્ટિવા મોપેડ અને મોબાઈલ ફોનના આધારે આ યુવાનની ઓળખ થઈ હોવાનું કહી રહી છે. જોકે, આંશિક નામના યુવાનની હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હાલ આશિફના પરિવારજનોની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

Next Story