સુરત: "સ્પા મસાજ પાર્લર" પર અજાણ્યા શખ્સો ઘુસી જઈ કરી તોડફોડ
BY Connect Gujarat8 Feb 2019 6:58 AM GMT
X
Connect Gujarat8 Feb 2019 6:58 AM GMT
તમામ પુરાવા આપવામાં આવ્યા છે છતાં હજુ આરોપી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
સુરતના વેસુના સ્પાના વેપારી પાસે હપ્તો માંગી કેટલાક ઈસમોએ ઓફિસમાં ઘૂસીને માર માર્યો હતો. સ્પાના માલિક રામાનુજ જયસ્વાલને વેસુ રૂંગટા આર્કેટમાં ઘુસીને ત્રણ ઈસમોએ માર માર્યો હતો સાથે પત્ની અને બાળકો સહિતનાને મારી નાખવાની ધમકી આપી દર મહિને ૧૦ હજારની પ્રોટેક્શન મની માંગી હતી. જેથી વેપારીએ ઉમરા પોલીસમાં આ અંગે જાણ કરી હતી.
પોલીસને જાણ કરી અરજી આપયા છતાં કોઇ કાર્યવાહી હાથ ન ધરાતા રામાનુજ જયસ્વાલે પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પોલીસને સમગ્ર હકીકત કહેવામાં આવી છે છતાં પાંડેસરા અલથાણના માથાભારેઅને મને ધમકી આપનારા વિજય, પંકજ અને લાલુ નામના શખ્સો સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. વેપારીએ ઉમરા પોલીસ સામે આક્ષેપ કરતાં કહ્યું કે તમામ પુરાવા આપવામાં આવ્યા છે છતાં હજુ આરોપી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
Next Story