Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 975 નવા કેસ નોધાયા, 1022 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 975 નવા કેસ નોધાયા, 1022 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના 975 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે 1022 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,76,608 પર પહોંચી છે.સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3740 થયો છે. રાજ્યમાં હાલ 12,398 એક્ટિવ કેસ છે, જ્યારે 1,60,470 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,334લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 975 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 158, અમદાવાદ કોર્પોરેશનમાં 159, વડોદરા કોર્પોરેશનમાં 72, સુરતમાં 56, રાજકોટ કોર્પોરેશનમાં 52, વડોદરામાં 39, રાજકોટમાં 33, મહેસાણામાં 32, બનાસકાંઠામાં 30, પાટણમાં 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, સાબરકાંઠામાં 19, ગાંધીનગર-મોરબી-સુરેન્દ્રનગરમાં 18-18, જામનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 6 દર્દીઑના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1022 દર્દી સાજા થયા હતા અને 51,572 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,62,122 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.86 ટકા છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,03,927 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,03,184 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 113 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે

Next Story