અમદાવાદ : કોરોના સંક્રમણ વધતાં BAPS સ્વામિનારાયણ મંદિર બંધ રહેશે, અક્ષરધામ મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય
રાજ્યમાં કોરોનાનું સક્રમણ વધતાં અમદાવાદની સ્થિતિ ગંભીર બની છે. કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર આજથી સોમવાર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં તમામ સંસ્કારધામ પણ આજથી સોમવાર સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તો સાથે જ ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ પણ બંધ રાખવામાં આવ્યું છે.
કોરોના વચ્ચે સંજોગો અને સ્થિતિને ધ્યાનમાં રાખી BAPS મંદિરના દ્વાર ખોલવા કે, નહીં તે જાહેરાત બાદમાં કરવામાં આવશે. BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરિભક્તોને કોરોના વાઇરસની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે. જ્યા સુધી સ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી મંદિર બંધ રાખવામાં આવશે તેમ જણાવ્યુ છે. આમ કોરોનાના કાળ બાદ હવે ફરીવાર અનેક મંદિરો સ્વયંભૂ બંધ કરવામાં આવી રહ્યા છે.