અમદાવાદ: AIMIMએ પણ પ્રચારનું રણશિંગુ ફૂંકયું, જુઓ કેવો છે પ્રતિસાદ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરાયા બાદ હવે દરેક રાજકીય પાર્ટી પ્રચારમાં જોડાઈ છે ત્યારે અમદાવાદ મહાનગપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે એ.આઇ.એમ.આઇ.એમ પણ આ વખતે ચૂંટણી લડી રહી છે ત્યારે પાર્ટીના 21 ઉમેદવારો જે મેદાનમાં છે તેમણે પોતાનો પ્રચાર શરુ કર્યો છે અને ડોર ટુ ડોર લોકસંપર્ક કરી પાર્ટી માટે મત માંગી રહયા છે.
અમદાવાદ મહાનગરપાલિકમાં ભાજપે અનેક વોર્ડમાં નવા ચેહરાઓને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે પણ પ્રચાર શરૂ કર્યો છે ત્યારે એ.આઇ.એ.મઆઇ.એમ. જેમેણે 21 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાનમાં છે અને લઘુમતી વિસ્તારમાં પાર્ટી પ્રચાર કરી રહી છે. શહેરના દરિયાપુર શાહપુર જમાલપુર અને દાણીલીમડામાં એ.આઇ.એમ.આઇ.એમ. એડીચોટીનું જોર લગાવી રહી છે ઘરે ઘરે તેઓ પોહચી રહયા છે અને પાયાના પ્રશ્નોને હલ કરવાની ખાતરી આપી મતદાતાઓને લુભાવવાની કોશિશ કરી રહયા છે. એ.આઈ.એમ.આઈ.એમ.ના ઉમેદવારોએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત માં અનેક વાયદા કર્યા હતા.