અમદાવાદ : ફોન પર ઓર્ડર લખાવવાથી વસ્તુઓ ઘરે પહોંચાડવામાં આવશે
BY Connect Gujarat28 March 2020 12:35 PM GMT
X
Connect Gujarat28 March 2020 12:35 PM GMT
અમદાવાદમાં
જીવનજરૂરીયાતની વસ્તુઓ ખરીદવા દુકાનો પર ભીડ રોકવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી
રહયો છે. કેટલાક પ્રોવિઝન સ્ટોર પર આપ ફોન પર ઓર્ડર નોંધાવશો એટલે વસ્તુઓ તમારા ઘર
સુધી પહોંચાડી દેવામાં આવશે.
રાજયમાં લોક
ડાઉન વેળા શાકભાજી, દુધ તથા
અનાજ કરિયાણાની ખરીદી માટે લોકો ભીડ કરી રહયાં છે. ભીડના કારણે સંક્રમણનો ખતરો વધી
જતો હોય છે. આવા સંજોગોમાં લોકો પોતાના ઘરોમાં જ રહે અને તેમને જરૂરી વસ્તુઓ ઘરના
આંગણે મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહયાં છે. કનેકટ ગુજરાતની ટીમે કેટલાક
વેપારીઓ સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, બજાર માં કોઈ જીવન જરૂરી ચીજવસ્તુનો અભાવ
નથી. વધુમાં દુકાનદારોએ જ લોકોને આપીલ
પણ કરી છે કે તમે
ઘરેથી બહારના નીકળો. આપને જોઇતી ચીજવસ્તુ અમે ફોન દ્વારા લખવી આપો તો અમે
તમારા ઘરે વસ્તુ પહોંચાડી આપીશું.
Next Story