અમદાવાદ : રીવરફ્રન્ટ નજીક બન્યું 8 માળનું પાર્કિંગ, એક હજાર કાર થઇ શકશે પાર્ક

અમદાવાદમાં તમે વાહન લઇને જાવ એટલે પાર્ક કયાં કરવું તેની સમસ્યા સતાવતી હોય છે.

New Update

અમદાવાદમાં તમે વાહન લઇને જાવ એટલે પાર્ક કયાં કરવું તેની સમસ્યા સતાવતી હોય છે. વાહનચાલકોને પાર્કિંગની ઝંઝટમાંથી ટુંક સમયમાં મુકિત મળવા જઇ રહી છે.

અમદાવાદમાં વાહનોની વધતી સંખ્યાની સરખામણીએ હવે પાર્કિંગની જગ્યાઓ ઓછી પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ ઉભા કરવામાં આવી રહયાં છે. શહેરના પ્રહલાદનગર, સિંધુભવન, ચાંદલોડિયા અને રિવરફ્રન્ટ ખાતે 8 માળના પાર્કિંગ તૈયાર કરાયાં છે. એસવીપી હોસ્પિટલ નજીક રિવરફ્રન્ટ રોડ ઉપર 60 કરોડના ખર્ચે તૈયાર કરેલું 8 માળનું પાર્કિંગ એપ્રિલના પહેલા સપ્તાહમાં લોકો માટે ખુલ્લું મુકાશે. આ પાર્કિંગ માટે ઘરે બેઠાં બેઠાં સ્લોટ બુક કરાવી શકાશે. આ પાર્કિંગમાં 1 હજાર કાર પાર્ક થઈ શકે તેટલી જગ્યા રાખવામાં આવી છે.

માર્ચ-2019 માં પાર્કિંગ બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ હતી. જોકે કોવિડની મહામારીના કારણે લગભગ એક વર્ષથી વધારે સમય માટે તેનું નિર્માણ બંધ રહ્યું હતું. સાબરમતી નદી ઉપર તૈયાર થયેલા ફૂટ ઓવરબ્રિજ સુધી પહોંચવા માટે પાર્કિંગ બિલ્ડિંગને જોડતો વોક -વે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. મલ્ટી લેવલ પાર્કિંગમાં કાર પાર્ક કરીને લોકો ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરમાં સીધી એન્ટ્રી મેળવી શકશે. આ ઉપરાંત પાર્કિંગના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર મોટા સ્ક્રીન ઉપર ખાલી સ્લોટની માહિતી મળશે.

Latest Stories
    Read the Next Article

    અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

    મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

    New Update
    • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

    • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

    • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

    • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

    • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

    અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

    ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

    Latest Stories