Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : AMC સામે હાઇકોર્ટની લાલ આખ, 72 કલાકમાં રખડતાં ઢોર દૂર કરવા આદેશ...

AMCના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

અમદાવાદ : AMC સામે હાઇકોર્ટની લાલ આખ, 72 કલાકમાં રખડતાં ઢોર દૂર કરવા આદેશ...
X

સ્માર્ટ સિટી અમદાવાદ હવે રખડતા ઢોરનો અડ્ડો બનતા હવે હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે 72 કલાકમાં અમદાવાદમાં રખડતા ઢોરનો આતંક દૂર કરવા AMCને આદેશ કર્યો છે. હાઈકોર્ટે AMC પૂછ્યું કે, શું રસ્તા પર એક પણ રખડતા ઢોર નથી. કેમ તંત્ર ઢોરને નથી પકડતું.?

આજથી સતત 3 દિવસ સુધી પેટ્રોલિંગ કરી ઢોરનો આતંક દૂર કરવા આદેશ કર્યો છે. સાથે જ રખડતાં ઢોર અંગે 2 અધિકારીઓની નિમણૂંક કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, રસ્તે રખડતાં ઢોર પર વિશેષ ધ્યાન આપવામાં આવે. પેટ્રોલિંગ શિફ્ટ વધારવા અને જરૂરી પગલાં લેવામાં આવે. સાથે રખડતા ઢોર અંગે રિપોર્ટ તૈયાર કરવા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની સૂચના પણ આપી છે. અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતા ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે.

રખડતાં ઢોરને કારણે થતા અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે આ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી હતી. AMCના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો.

સુનાવણીમાં ખંડપીઠે સરકારની ટકોર કરી હતી. જેમાં એએમસી કહેવાયું હતું કે, સોમવાર સુધીમાં આ સમસ્યા પર અંકુશ માટે પ્રસ્તાવ નહીં લાવો તો અમે કડકમાં કડક આદેશ જારી કરીશું. આ પરિસ્થિતિ ચેતવણીરૂપ છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે, આવતીકાલથી રસ્તા પર ઢોરને લીધે કોઈને અકસ્માત કે. મોત નીપજવું ન જોઈએ.

Next Story