Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ગોદરેજ ગાર્ડન સિટીમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી! મકાનમાં આગ પણ ચાંપી દીધી ?

અમદાવાદનો વૈભવી વિસ્તાર કહેવાતા ગોદરેજ ગાર્ડનસિટીના એક મકાનમાં આગની ઘટના સામે આવી હતી

X

અમદાવાદનો વૈભવી વિસ્તાર કહેવાતા ગોદરેજ ગાર્ડનસિટીના એક મકાનમાં આગની ઘટના સામે આવી હતી જેમાં પતિ પત્નિના ઝઘડામાં મકાનમાં આગ લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં પત્નિનું મોત નીપજયું હતું જ્યારે પતિ સારવાર હેઠળ છે

અમદાવાદના પોશ વિસ્તારમાં આગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં V બ્લોકના ચોથા માળે આજે સવારે અચાનક આગ લાગી હતી. જોકે સ્થાનિકોના મતે સવારના V-405માં અનિલ બધેલ અને તેમની પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જોકે આ દરમિયાન અચાનક ઝઘડો ઉગ્ર બન્યા બાદ બન્નેએ એક બીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.

આ સમગ્ર મામલે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમને આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.અમારી ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્ની એક બીજાને છરીના ઘા માર્યા હોય તે રીતે પડ્યા હતા. જોકે આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

જોકે અહીં સૌથી મોટો સવાલએ છે કે,આ આગ કોણે લગાડી? અને પતિ-પત્નિ ઇજાગ્રસ્ત હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળ્યા તો તેઓ ચોથા માળે આગ લાગી હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્યારે પહોંચ્યા? આવા અનેક સવાલો ના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગેલી આગની ઘટનામાં પતિ-પત્ની ઇજાગ્રસ્ત થવાની સાથે પત્નીનું મોત થયું છે. તો બીજી તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે અહીં મહત્વની વાત એ છે કે, આજે સવારે આ ઘટના બની ત્યારે બાળકો શાળાએ ગયા હોઇ તેઓ આ દુર્ઘટનામાં બચી ગયા હતા.

Next Story