અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટનામાં ત્રણ આરોપી ઝડપાયા

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

New Update
  • પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટનો મામલો

  • આરોપીએ ઈન્ટરનેટના માધ્યમથી બનાવ્યો બોમ્બ

  • પત્ની સાથેના અણબનાવથી કંટાળીને ઘડી કાઢ્યો પ્લાન

  • પોલીસે કરી ત્રણ આરોપીની ધરપકડ

  • પોલીસે હથિયાર બનાવવાની સામગ્રી પણ કરી જપ્ત   

Advertisment

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી.પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાના આધારે પતિ દ્વારા જ ફરિયાદી ના ઘરે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો.પોલીસે મુખ્ય આરોપી રૂપેન  બારોટ,રોહન રાવળ અને ગૌરવ ગઢવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી પાસેથી પોલીસે કાર,બે જીવતા બોમ્બ અને એક દેશી તમંચો સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી રૂપેન  બારોટ ગુગલ અને ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ બનાવવાનું શીખ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

રૂપેન બારોટ અને તેની પત્ની હેતલ વચ્ચે ઝઘડો ચાલતો હતો.23 માર્ચે પત્ની હેતલ પિયર જતી રહી હતી. પત્ની હેતલ ગઈ તેની પાછળ હાઇકોર્ટમાં વકીલના ક્લાર્ક કામ કરતા બળદેવ સુખડીયા જવાબદારી હોવાનું તે માનતો હતો,અને તેથી તેમને મારવા માટે ઈન્ટરનેટના માધ્યમથી બોમ્બતમંચો કઈ રીતે બનાવવો તે રિસર્ચ કરી બોમ્બ બનાવ્યો હતો. જેમાં ગંધકપાવડરસર્કિટબેટરી અને એક સ્વીચ રિમોટથી ઓપરેટ થાય તે રીતે બોમ્બ બનાવ્યો હતો. રૂપેન પાસેથી બોમ્બ બનાવવા લેથનું મશીનબ્લેડ અને અન્ય મશીન મળી આવ્યા છે. છેલ્લા ચાર મહિનાથી આ પ્રક્રિયા કરતો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

 

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment