અર્શદીપે બે વાર તોડયા સ્ટમ્પ, BCCIને થયું લાખોનું નુકસાન, વાંચો કેમ?

IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું.

Update: 2023-04-23 05:00 GMT

IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 8 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 6 વિકેટ ગુમાવીને માત્ર 201 રન જ બનાવી શકી હતી. પંજાબની જીતનો હીરો અર્શદીપ સિંહ રહ્યો હતો. અર્શદીપે આ મેચમાં 4 વિકેટ લીધી હતી. પરંતુ અર્શદીપની શાનદાર બોલિંગ બીસીસીઆઈને મોંઘી પડી.

મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. ત્યારબાદ પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને બોલ અર્શદીપ સિંહને આપ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. ટિમ ડેવિડે તેના પ્રથમ બોલ પર સિંગલ લીધો હતો. ત્યારબાદ બીજા બોલ પર તેણે કોઈ રન આપ્યો ન હતો. આ પછી તેણે ત્રીજા બોલ પર તિલક વર્માને ક્લીન બોલ્ડ કર્યો અને મિડલ સ્ટમ્પ પણ તોડી નાખ્યો. ત્યારબાદ ચોથા બોલ પર પણ તેણે સ્ટમ્પ તોડી નેહલ વાડેરાને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ વખતે સ્ટમ્પ તૂટીને દૂર પડી ગયો.

અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં 16 રન બચાવીને પંજાબની ટીમને બચાવી હતી, પરંતુ બીસીસીઆઈને લગભગ 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, LED સ્ટમ્પ અને જિંગલ બેલના સેટની કિંમત લગભગ $40,000 એટલે કે લગભગ 30 લાખ રૂપિયા છે. અર્શદીપે સતત બે વખત સ્ટમ્પ તોડ્યા, આવી સ્થિતિમાં બોર્ડને લાખોનું નુકસાન વેઠવું પડશે.

Tags:    

Similar News