રાજ્યમાં આજે કોરોનાના 427 નવા કેસ નોધાયા, 360 લોકોએ કોરોનાને આપી મ્હાત

Update: 2021-03-01 16:25 GMT

રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 427 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 360 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણથી એકનું મૃત્યુ થયું હતું. તેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4411 પર પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું.

રાજ્યમાં અત્યાર સુધી 263475 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.47 ટકા પર પહોંચ્યો છે. હાલ 2429 એક્ટિવ કેસ છે, જેમાંથી 35 લોકો વેન્ટિલેટર પર અને 2394 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 427 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 96, વડોદરા કોર્પોરેશનમાં 73, સુરત કોર્પોરેશન 61, રાજકોટ કોર્પોરેશન 44, પંચમહાલ 14, કચ્છ 11, વડોદરા 11, આણંદ 9, જામનગર કોર્પોરેશન 9 , સાબરકાંઠા 8, દાહોદ, જુનાગઢ અને ખેડામાં 7-7 કેસ નોંધાયા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,83,601 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 1,89,624 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Tags:    

Similar News