અભિનેત્રી કંગના રનૌતએ ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેકતા કહ્યું કે,આજે મારુ ઘર તૂટયું છે કાલે તારો ઘમંડ તૂટશે

Update: 2020-09-09 12:34 GMT

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ બી.એમ.સી એ કરેલી કાર્યવાહી બાદ મામલો વધુ ગરમાયો છે. શિવસેનાની ધમકી વચ્ચે  કંગના મુંબઇ પહોંચી છે. અને તેના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે . કંગના રનૌતનો ઉદ્ધવ સરકારને ખુલ્લો પડકાર ફેક્યો છે.

અભિનેત્રીએ  આ વીડિયોમાં કહી રહી છે કે, ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તે ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારું ઘર તોડીને મોટો બદલો લઇ લીધો? આજ મારું ઘર તૂટ્યું છે કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજે દરેક વખતે એક સરખું નથી હોતું.

https://twitter.com/KanganaTeam/status/1303636961131782147

અભિનેત્રીએ કહે છે કે  મને લાગે છે કે તે મારા પર મોટો ઉપકાર કર્યો છે. કેમ કે મને ખબર હતી કે કાશ્મીરી પંડિતો પર શું વીતી હશે. આજે મને સમજાયું છે અને આજે હું આ દેશને વચન આપું છું હું ફક્ત અયોધ્યા પર જ નહીં, પણ કાશ્મીર પર પણ ફિલ્મ બનાવીશ. અને હું મારા દેશવાસીઓને જગાડીશ. "

Tags:    

Similar News