અંકલેશ્વરઃ ગેરકાયદે પક્ષીઓ રાખતા બે લોકોની વન વિભાગે શંકાનાં આધારે કરી અટકાયત
કોસમડી વિસ્તારમાં આવતા ગણાશપાર્ક વિસ્તારમાં વન વિભાગ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી હતી
અંકલેશ્વરમાં ગેરકાયદેસર પક્ષી વેચતા અને કેદ રાખતા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કોસમડી વિસ્તારમાં આવતા ગણેશપાર્ક -3 વિસ્તારમાં તપાસ કરતાં એક ઘરમાંથી મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન અને ભારતીય પક્ષીઓ મળી આવ્યા હતા. આ પક્ષીઓને વન વિભાગે કબજે કર્યા છે. સમગ્ર પ્રકરણમાં શંકાનાં આધારે બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.