અંકલેશ્વરના વેપારીએ મુંબઇના વેપારીને લગાવ્યો 34.67 લાખ રૂપિયાનો ચુનો

Update: 2021-01-03 07:35 GMT

અંકલેશ્વરના વેપારીએ મુંબઈના વેપારી પાસેથી રૂપિયા 34.67 લાખનો સામાન ખરીદી કરી રૂપિયા નહિ આપી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે.

મહારાષ્ટ્રના પુનાના શાંતિ નગર સોસાયટીમાં રહેતા અલ્પેશકુમાર રામચંદ્ર શાહ મુંબઈના કુંભરવાડા વિસ્તારમાં ભાગ્યવંતી સ્ટીલ નામની દુકાન ચલાવે છે. તેમના મોબાઈલ ફોન પર ગત તારીખ-21 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના ક્રિષ્ના સેલ્સ કોર્પોરેશનના પ્રદીપ જોશીનો ફોન આવ્યો હતો. પ્રદિપ જોષીએ અલ્પેશ શાહ પાસેથી સ્ટીલનો વિવિધ સામાન મંગાવ્યો હતો જેનું બિલ 34.67 લાખ રૂપિયા થયું હતું.

અલ્પેશ પ્રદિપ જોષી પાસે બિલના નાણાની ઉઘરાણી શરૂ કરી હતી. પ્રદીપ જોશી વાયદાઓ કરી રૂપિયા ન આપતા વેપારી પોતે છેતરાય હોવાનું માલૂમ પડતા મુંબઈના વેપારીએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે રૂપિયા 34.67 લાખથી વધુની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રદિપ જોશી વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News