ભરૂચ : પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ યોજવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ

Update: 2020-01-26 08:34 GMT

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે

શનિવારની રાત્રિએ શહેરીજનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં

દેશભકિતથી નીતરતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજર રહી

કાર્યક્રમને માણ્યો હતો. 

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે

જીલ્લા વહીવટ તંત્ર દ્વારા ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ના ભાગરૂપે સાંસ્કૃતિક

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડીયા, પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાળા સહિતના

મહેમાનોની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિવિધ શાળાઓના

વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો. દેશભકિતની ઝાંખી કરાવતી કૃતિઓએ

લોકોના મન મોહી લીધાં હતાં. ઠંડીના માહોલમાં પણ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે માનવ

મહેરામણ ઉમટી પડયું હતું. 

Similar News