ભરૂચ : નેત્રંગમાં દિલ્હીથી પરત ફરેલા યુવકને ઘરના સભ્યો સાથે કોરોન્ટાઇન કરાયા

Update: 2020-04-02 11:02 GMT

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ મસ્જિદ

ફળીયામાં રહેતા યુવક ૧૫ માર્ચના રોજ નેત્રંગથી દિલ્હી કપડાની ખરીદી કરવા માટે ગયા

હતા. અને કપડાની ખરીદી કરીને ૨૧ માર્ચની સાંજે ચાર વાગ્યે પોતાના ઘરે નેત્રંગ પરત

ફયૉ હતા. મળતી માહિતી અનુશાર લોકડાઉન દરમ્યાન આરોગ્ય વિભાગની સર્વેની કામગીરીમાં

તેમની પત્નીએ અમારા ઘરમાંથી કોઈ બહાર ગયું નથી તેવી ખોટી માહિતી આપી હતી.

યુવકના સાળાનું દિલ્હીના જમાત પ્રક્રરણમાં નામ બહાર આવતાં તેને પોલીસે અટક કરી હતી. તેણે પોલીસ તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે, મારા બનેવી નેત્રંગ રહે છે. તે પણ મારી સાથે દિલ્હી આવેલા હતા. જેથી નેત્રંગ આરોગ્ય વિભાગ અને પી.એસ.આઇ બી.એસ ગામીતે તેના ઘરે જઈ કાયદેસર કાર્યવાહી કરી, વધુ તપાસ હાથધરી હતી. પરંતુ કોરોના લક્ષતો નહીં દેખાતા રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આરોગ્ય સુખાકારીના કારણે યુવકના ઘરમાં તેની પત્ની, પુત્રી અને પુત્ર આ ચારેયને ૧૪ દિવસ માટે કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News