ભરૂચ : સ્વ.અહમદ પટેલના પુત્ર અને પુત્રી પહોંચ્યાં પીરામણના આદિવાસી ફળિયામાં, જુઓ શું આપી ખાતરી

Update: 2020-12-03 08:53 GMT

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. અહમદ પટેલ આપણી વચ્ચે નથી રહયાં પણ તેમણે કરેલા સેવાકાર્યો હજી લોકોના દીલમાં જીવંત છે. અહમદ પટેલ હયાત નથી ત્યારે તેમના સેવાકાર્યોને આગળ લઇ જવા માટે તેમનો પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ સજજ બન્યાં છે.

રાજયસભાના મરહુમ સાંસદ અહમદ પટેલ પોતાની સરળ રાજનીતી અને જીવનશૈલી ઉપરાંત સેવાકાર્યો માટે જાણીતા હતાં. આદિવાસી વિસ્તારોમાં તેમણે અનેક લોકોના જીવન પોતાની મદદ થકી બદલી નાંખ્યાં છે. સ્વ. અહમદ પટેલ હવે આપણી વચ્ચે રહયાં નથી. સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ અચાનક પિરામણ ગામના આદિવાસી ફળિયામાં પહોંચ્યાં હતાં. બંને ભાઇ- બહેને લોકોને પોતાના પિતાની ગરજ સારવા દેશે નહિ તેવી ખાતરી આપી હતી. તેમના પિતાએ શરૂ કરેલા સેવા કાર્યોને તેઓ આગળ ધપાવશે. અહમદ પટેલના પુત્ર ફૈઝલે લોકોને ખાતરી આપી હતી કે તેઓ નિયમિત રીતે પિરામણ ગામમાં આવતાં રહેશે અને કોઇ પણ લોકોને મદદની જરૂરીયાત હોય તો તેમને મળી શકે છે.

Tags:    

Similar News