ભરૂચ શહેર ભાજપ તરફથી CAA કાયદાના સમર્થનના લખાણ સાથેના પતંગોના વિતરણનો કાર્યક્રમ શક્તિનાથ ખાતે યોજવામાં આવ્યો હતો.
દેશભર સીએએ-એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે. જેની સામે
દેશમાં એકમાત્ર ગુજરાત વિધાનસભામાં સીએએના વિધેયકને પસાર કરવામાં આવ્યું છે.
કાયદાની સમજ આપવા જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સોમવારના રોજ ભરૂચ શહેરના
શકિતનાથ સર્કલ ખાતે ભાજપના ઉપક્રમે પતંગ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ ,શહેર પ્રમુખ ધનજી ગોહિલ, નગરપાલિકા પ્રમુખ સુરભી
તમાકુવાળા સહિત દિવ્યેશ પટેલ, મહેન્દ્ર કંસારા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહયાં હતાં.