અંકલેશ્વર : સારંગપુરના ડે.સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ કેસ દાખલ..!

સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

Update: 2024-01-11 07:32 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે તલાવડીની જમીનમાં ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ દ્વારા કોમ્પ્લેક્ષ બાંધ્યું હોવાની અરજી DLR અને તાલુકા પંચાયતમાં ગામના સ્થાનિક અક્ષય પટેલે કરી હતી. આ અરજીના અનુસંધાનમાં DLRની ટીમ ગત રોજ માપણી કરવા માટે સ્થળ પર પાહોચી હતી. તે સમયે તલાટી તેમજ અરજદારને પણ બોલાવવામાં આવ્યા હતા. તે દરમ્યાન માથાકૂટ સર્જાતા રતિલાલ પટેલે અરજદાર અક્ષય પટેલને ટેબલ તથા સળિયાથી માર માર્યો હતો, અને આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં પણ ખૂબ વાયરલ થયો હતો, ત્યારે સમગ્ર મામલે અરજદાર અક્ષય પટેલ દ્વારા અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે માર મારવા તેમજ અભદ્ર ગાળો આપી મારી નાખવાની ધમકી આપવા બદલ અરજદાર અક્ષય પટેલની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે આરોપીની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News