અંકલેશ્વર : રાજપીપલા ચોકડી નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત, 2 ટ્રક વચ્ચે અકસ્માતગ્રસ્ત બાઈકચાલકનું ઘટના સ્થળે મોત

રાજપીપલા ચોકડી નજીક આવેલ વળાંક પાસે 2 ટ્રક વચ્ચે બાઈકસવાર દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.

Update: 2022-11-10 11:48 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ વળાંક પાસે 2 ટ્રક વચ્ચે બાઈકસવાર દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ગુરુવારની બપોરે એક બાઈકસવાર અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ વળાંક પાસેથી પસાર થઇ રહ્યો હતો, તે દરમિયાન કાળ બનીને ધસી આવેલ 2 ટ્રક ચાલકોએ બાઈકને ટક્કર મારતા ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર 2 ટ્રક વચ્ચે દબાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે હાઈ-વે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત અંગેની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિકને પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News