અંકલેશ્વર : ઉછાલી ગામે હનુમાનજી મંદિરના મહંતનો મૃતદેહ મળી આવ્યો, ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલ મંદિરના મહંતનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-08-25 08:06 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલ મંદિરના મહંતનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામના પેટ્રોલ પંપની સામે આવેલ હનુમાનજી મંદિર નજીક મંગળદાસ મહારાજનો નર્મદા કુટીરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બનાવની જાણ તથા જ મહંતના સ્વજનો તેમજ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. મંગળદાસ મહારાજના માથાના ભાગે ઇજા તેમજ નજીકમાં જ રક્ત જોતાં મહારાજને ચક્કર આવ્યા હોય અને તેઓ પડી જતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News