અંકલેશ્વર : બોરભાઠા ગામ નજીક તુફાન પિકઅપ વાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોને પહોચી ઇજા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક તુફાન પિકઅપ વાન અને i20 કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

Update: 2021-07-06 04:47 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક તુફાન પિકઅપ વાન અને i20 કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતમાં 4 લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિત અનુસાર, મંગળવારની સવારે ભરૂચથી પાનોલી પી.આઈ. કંપની ખાતે કામ કરતા વર્કરોને લઈને એક તુફાન પિકઅપ વાન જઈ રહી હતી. તે દરમ્યાન અંકલેશ્વરના બોરભાઠા ગામ નજીક અંકલેશ્વર તરફથી આવતી i20 કાર સાથે તુફાન પિકઅપ વાન ધડાકાભેર ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, બન્ને વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા તુફાન પિકઅપ વાનમાં બેસેલા 8 જેટલા વ્યક્તિઓમાંથી 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી, જ્યારે i20ના કાર ચાલકને હાથમાં ઇજા પહોચી હતી.

અકસ્માત બાદ તુફાન પિકઅપ વાનના તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે i20 કારના ચાલકને ખાનગી વાહનમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની ન થતાં સ્થળ પર હાજર લોકોએ રાહત અનુભવી હતી.

Tags:    

Similar News