અંકલેશ્વર: જીનવાલા સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરાયું
પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ઈ.એન.જીનવાલા સ્કુલ ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં જરૂરિયાતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૫ જેટલા બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ગણવેશ વિસ્તારમાં પાલિકાના સભ્ય આમીદ મુલ્લા અને અન્ય દાતાઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો