ભરૂચ : બંગાળી સમાજ દુર્ગા મહોત્સવની કરશે ઉજવણી, તૈયારીઓને આખરી ઓપ

ભરૂચ શહેરમાં ઉજવાય છે દુર્ગા મહોત્સવ, બંગાળી સમાજ કરે છે દુર્ગા મહોત્સવની ઉજવણી

Update: 2021-10-06 11:24 GMT

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતાં બંગાળી સમાજ દ્વારા તેમના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. શ્રવણ ચોકડી પાસે હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. તાજેતરમાં સરકારે પણ કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાને રાખી ધાર્મિક તહેવારો ઉજવવાની પરવાનગી આપતા દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચ ખાતે આવી પહોંચ્યાં છે. તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગાષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી રંગરોગાન સાથે શણગાર કરી આખરી ઓપ આપી રહ્યા છે. આસો નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે, પ્રતિમાંનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ દુર્ગા માતાજીની પ્રતિમા ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈપણ જાતનું પ્રદુષણ નહીં થાય છે.

Tags:    

Similar News