ભરૂચ: 19 દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ દશાન ગામના તળાવમાંથી મળી આવ્યો,પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

અંકલેશ્વરના અંદાડા ગામની એક સોસાયટીમાં ઝઘડિયાના સિમોદરા ગામનો પરિણીત પ્રેમી કિશન માનસંગ વસાવા દહેજના જોલવાની 21 વર્ષીય પાયલ સાથે રહેવા આવ્યો હતો

Update: 2022-09-14 11:58 GMT

અંકલેશ્વરના અંદાડા ખાતેથી ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા બાદ 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા મામાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે

અંકલેશ્વરના અંદાડા ગામની એક સોસાયટીમાં ઝઘડિયાના સિમોદરા ગામનો પરિણીત પ્રેમી કિશન માનસંગ વસાવા દહેજના જોલવાની 21 વર્ષીય પાયલ સાથે રહેવા આવ્યો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય બે મહિના પહેલા લગ્ન કરવાનું વચન આપી દાદીના ઘરેથી પોતાની સાથે લઈ ગયો હતો.તે દરમિયાન 25મી ઓગસ્ટના રોજ પૌત્રીનો ફોન બંધ આવતા દાદી અંદાડા પહોંચી હતી પણ ઘર બંધ હતું પૌત્રીના પ્રેમીની પત્ની કરિશ્મા કિશન વસાવા રાજપારડીથી ઇકોમાં ત્રણ મહિલા અને બે પુરૂષોને લઈ અંદાડા ૨૪મીએ આવી હોવા સાથે પ્રેમિકાને માર મારી ઇકોમાં બેસાડી તેના ઘરે જોલવા મુકવા જતા હતા.દરમિયાન દશાન ગામે પાયલ ભાગી ગઈ હોવાની વાર્તા ઘડી કાઢી હતી.દાદીએ પૌત્રી પાયલ 19 દિવસથી ગુમ થવાની અને અપહરણની ફરિયાદ આપતા અંકલેશ્વર પોલીસે પ્રેમીની પત્ની કરિશ્મા, વાળંદ પરિવારના કમલેશ, તેની પત્ની મનીષા, વૈશાલી અને ઇકોના ચાલક અકબરની ધરપકડ કરી હતી. દરમિયાન મંગળવારે સાંજે દશાન ગામ ખાતેથી પાયલનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. હવે પી.એમ. રિપોર્ટની રાહ જોવાય રહી છે જે આવ્યા બાદ પાયલની હત્યા કરાઈ છે કે નહીં તેનો ભેદ ખુલશે.

Tags:    

Similar News