ભરૂચ: વાલિયાના કોંઢ ગામ ખાતે ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાનોએ પી.એમ.મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંબોધન કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા વાલિયા તાલુકાનાં કોંઢ ગામ ખાતે આ અંગેના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો અને સ્થાનિકો દ્વારા પી.એમ.નું સંબોધન સાંભળવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રભારી કેતન રાણા,બક્ષીપંચ મોરચાના પ્રમુખ હર્ષદ પટેલ,કારોબારી સભ્ય કેતન ભાલોદવાલા શિટના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા