ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહિ, મુખ્ય ગેટ જ બંધ કરી દેવાયો

ભરૂચમાં પણ કોરોનાના કેસ વધી રહયાં હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે.

Update: 2022-01-03 12:18 GMT

ભરૂચમાં પણ કોરોનાના કેસ વધી રહયાં હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં લોકો માસ્ક વિના આવતાં હોવાથી મુખ્ય ગેટ જ બંધ કરી દેવાયો છે.

ભરૂચમાં કોરોનાના કેસ વધી રહયાં છે તેમ છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. આજે સોમવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની ભીડ ઉમટી પડતાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયાં હતાં. કોરોનાના કેસની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં કોરોનાના 46 એકટીવ કેસ છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને માસ્ક પહેર્યા વિના આવેલાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરી દેવાયું હતું. ઇમરજન્સી કેસોને બાદ કરતાં તમામ આતે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News