ભરૂચ : ઝાડેશ્વર SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરાઇ, પ્રતિપદા દિનનું મહત્વ જણાવ્યુ

ઝાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા ચૈત્ર સુદ એકમના દિવસે પ્રતિપદા દિવસની ઉજવણી કરવામાં આવી

Update: 2022-04-03 12:18 GMT

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા ચૈત્ર સુદ એકમના દિવસે પ્રતિપદા દિવસની ઉજવણી કરવામાં આવી

ચૈત્ર સુદ એકમે બ્રહમાજીએ સૃષ્ટિનું સર્જન કર્યું એટલે હિન્દુ ધર્મ માટે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે .જેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રતિ વર્ષે આ ઉત્સવ મનાવે છે અને સ્વયંસેવક રાષ્ટ્ર અને ધર્મના રક્ષણના સંકલ્પ સાથે કામની શરૂઆત કરે છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઝાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં ઉજવણી કરી હતી. આ ઉત્સવની ઉજવણીના ઉપક્રમે ભરૂચ નગરના કાર્યવાહ કલ્પેશભાઇનું વકતવ્ય રાખવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સીપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે સાથે જ જયોતિ પ્રભાત શાખાના મેદાન ખાતે સ્વયંસેવકો દ્વારા પથ સંચલન ,યોગા જેવી વિવિધ પ્રવૃતિઓ થકી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

Tags:    

Similar News