ભરૂચ : આગામી તહેવારોને લઈને કુદરતી પ્રદૂષણ અટકાવા મુહિમ,સત ચેતના સંગઠને કલેક્ટરને આવેદન પાઠવ્યું

વિવિધ ધાર્મિક તહેવારોને લઈને કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે સત ચેતના સંગઠન દ્વારા ભરૂચ કલેકટરને આયોજનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Update: 2022-07-18 08:58 GMT

ભરૂચ જિલ્લામાં આગામી વિવિધ ધાર્મિક તહેવારોને લઈને કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે સત ચેતના સંગઠન દ્વારા ભરૂચ કલેકટરને આયોજનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં દશામાં, તાજીયા તથા ગણેશ ઉત્સવ દરમિયાન કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે સત ચેતના સંગઠન દ્વારા ભરૂચ કલેકટરને આયોજનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં સરકાર દ્વારા ગણેશજીની પ્રતિમાઓની ઊંચાઈનો પ્રતિબંધ હટાવી દેવામાં આવેલ છે પરંતુ પ્રતિમાઓની બનાવટમાં માટી કે પીઓપીથી બનાવવા માટે કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી. ઊંચાઈ ધરાવતી મોટાભાગની પ્રતિમા પીઓપીમાંથી જ બનાવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં દેવી-દેવતાઓની પીઓપીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને મોટાભાગની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં આવતું હોય છે. સત ચેતના સંગઠન દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું હતું કે નદીમાં કરવામાં આવતા મૂર્તિ વિસર્જન ને કારણે પ્રતિમાઓના પીઓપી તથા ઝેરી રંગ રસાયણથી નદી પ્રદૂષિત થાય છે અને જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચ પ્રશાસન દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન માટે કૃત્રિમ જળ કુંડ બનાવવામાં આવતા હતા પરંતુ ગણેશજીનું વિસર્જન બીજા દિવસથી ઘણા લોકો કરતા હોય છે. જેથી કૃત્રિમ તળાવ વહેલી તકે બનાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News