ભરૂચ : જંબુસરના માલપુર ગામે બે મકાનો આગમાં ભસ્મીભૂત,જાણો કઈ રીતે બન્યો બનાવ ..?

Update: 2022-04-28 04:05 GMT

માલપુર જૂના સરપંચ ફળીયામાં આવેલ કનુભાઈ પરમાર તથા દેવજીભાઇ પરમારના મકાનમાં આકસ્મિક આગ લાગે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બે મકાનો સહિત ઘરનો સામાન અનાજ રોકડ રકમ કપડાં સહિતનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો.

Full View

માલપુર ગામે અચાનક રહેણાંક મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનો આવી પહોંચી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા..આગ લાગ્યાની જાણ ઓએનજીસી તથા પીઆઇ કંપનીના ફાયરને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. બે કલાકનો ઉપરાંત નો સમય થવા છતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા નહોતા..સદર બનાવની જાણ મામલતદાર જંબુસર તથા કાવી પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ખડેપગે હાજર રહ્યા હતા આખરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.


Tags:    

Similar News