RBIએ રેપો રેટ સાથે ઘણી કરી જાહેરાત, વ્યાજ દરમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર નહીં..!

MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી.

Update: 2024-02-08 05:49 GMT

MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી. આ વખતે પણ રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. આ સિવાય આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં દેશમાં જીડીપી ગ્રોથમાં વધારો જોવા મળશે.

નાણાકીય નીતિની બેઠક દર બે મહિને થાય છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારે RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ 2જી અને 3જી મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને RBIએ રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો હતો.

રેપો રેટમાં આ ફેરફાર 22 મે, 2020 પછી થયો છે. આ પછી 6 થી 8 જૂન દરમિયાન યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો.

સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થયા. ત્યારબાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યો હતો.


Tags:    

Similar News