પ્રિયંકા ગાંધીના કાફલામાં વાહનોની ટક્કર, કોઈને ઈજા પહોંચી નથી, રામપુર જતા થયો અકસ્માત

Update: 2021-02-04 05:54 GMT

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલામાં સામેલ વાહનો અકસ્માતનો ભોગ બન્યા છે. હાપુડ રોડ ઉપર કાફલાના વાહનો ટકરાયા હતા.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલામાં સામેલ ગાડીઓમાં અકસ્માત થયો છે. યુપીના હાપુર રોડ પર પ્રિયંકા ગાંધીના કાફલામાં સામેલ ચાર વાહનો ટકરાયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. કહેવામાં આવી રહ્યું છે કે કાફલામાં સામેલ આગલી કારના ચાલકે અચાનક બ્રેક્સ લગાવી હતી, જે પછી પાછળ દોડી રહેલી કાર ટકરાઈ હતી.

આ અકસ્માત એ સમયે થયો જ્યારે પ્રિયંકા ગાંધી ટ્રેક્ટર રેલીમાં પોતાનો જીવ ગુમાવનાર નવરિત સિંહના પરિવારને મળવા માટે રામપુર જઈ રહી હતી. નવરીત સિંહનો આજે અંતિમ અરદાસ કાર્યક્રમ છે. પ્રિયંકા ગાંધી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને પરિવારોને દિલાસો આપશે. પ્રિયંકાના કાફલામાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજયકુમાર લલ્લુ સિંહ પણ હાજર છે. પ્રિયંકા ગાંધીના કાફલામાં તેના સમર્થકો પણ છે. પ્રિયંકા ગાંધી એનએચ -24 થઈને રામપુર જઈ રહી છે.

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન નવરીત સિંહનું મોત નીપજ્યું હતું. દિલ્હી પોલીસના બેરીકેડને ટક્કર મારતાં નવરિતનું ટ્રેક્ટર પલટી ગયું હતું. ટ્રેક્ટર અકસ્માત બાદ દિલ્હી પોલીસે એક વીડિયો બહાર પાડ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આઇટીઓ નજીક પોલીસ બેરિકેડ તોડવાના પ્રયાસમાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. નવરિત આ ટ્રેક્ટર જાતે ચલાવી રહ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર નવરિત સિંહનું મોત અકસ્માતને કારણે થયું હતું.

Tags:    

Similar News