સાબરકાંઠા : હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરે 7 ધાન્યથી શિવલિંગનું ભવ્ય નિર્માણ કરાયું...

7 ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, શિવજીની વિવિધ રંગો વડે પ્રતિકૃતિ બનાવીને ભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો..

Update: 2023-02-18 08:35 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ ભોલેશ્વર મંદિરમાં 7 ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવ્યું છે, ત્યારે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરમાં ભક્તોનો ભારે ભીડ જામી હતી. સાબરકાંઠા જિલ્લામાં મહાશિવરાત્રીને લઈને મંદિરોને વિવિધ પ્રકારે શણગારવામાં આવ્યા છે. જોકે, હિંમતનગર શહેરમાં ભોલેશ્વર વિસ્તારમાં આવેલ ભોલેશ્વર મંદિરમાં 7 ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, શિવજીની વિવિધ રંગો વડે પ્રતિકૃતિ બનાવીને ભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે આજે મહાશિવરાત્રીના દિવસે અહી શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Full View

Tags:    

Similar News