Covid-19 : ગુજરાતમાં આજે 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા, 4 દર્દીના થયા મોત

Update: 2021-06-20 16:47 GMT

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના185 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10032 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 651 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.04 ટકા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 38, સુરત કોર્પોરેશનમાં 27, સુરત 13, જૂનાગઢ 11, વડોદરા કોર્પોરેશન 11, વડોદરા 10, દેવભૂમિ દ્વારકા 8, ગીર સોમનાથ 8, રાજકોટ કોર્પોરેશન 8, આણંદ 5, સાબરકાંઠા 5, વલસાડ 5, બનાસકાંઠા 4, જૂનાગઢ કોર્પોરેશન 4, ખેડા 4, કચ્છ 4, નવસારી 4, જામનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, ભરુચ 2, રાજકોટ 2, અમરેલી , ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, જામનગર, મહીસાગર અને નર્મદામાં 1-1 કેસ સાથે કુલ 185 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી કુલ ચાર લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1, જૂનાગઢમાં 1, દેવભૂમિ દ્વારકા 1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ ચાર લોકોના મોત થયા છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 6109 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 142 લોકો વેન્ટિલેટર પર છે. 5967 લોકો સ્ટેબલ છે. 8,06,193 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 04 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,032 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે.

આજે એક જ દિવસમાં 1,96,382 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,20,68,302 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News