ભાવનગર : શામપરા સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા E-FIR વિશે જાણકારી અપાય

પોલીસ તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન ગયાં વગર ઓનલાઇન રીતે એપ્લિકેશન કરી શકાય તે માટે આ એપ્લિકેશન વિકસીત કરી છે.

Update: 2022-08-05 08:21 GMT

ભાવનગરના એ.એસ.પી. સફીન હસને સ્વામિનારાયણ ગુરુકુળ, શામપરા ખાતે આવેલ ગુરુકુળના વિદ્યાર્થીઓને E-FIR એપ્લિકેશન વિશેની ઉપયોગી જાણકારી આપી હતી. પોલીસ તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન ગયાં વગર ઓનલાઇન રીતે એપ્લિકેશન કરી શકાય તે માટે આ એપ્લિકેશન વિકસીત કરી છે. તેનો કઇ રીતે ઉપયોગ કરી શકાય અને તેનાથી થનાર ફાયદા વિશેની સમજણ સફિન હસને આપી હતી.

શામપરા સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ આ વિગતો રસપૂર્વક સાંભળી હતી. તેમણે ગુરુકુળના વિદ્યાર્થીઓને કેવી રીતે કારકિર્દીમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરી શકે તે માટે કેવી રીતે આયોજન કરવું જોઇએ અને કઇ રીતે તે મેળવવાં પ્રયત્ન કરવાં જોઇએ તે વિશેનું ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુ ધામેલીયા, વરતેજ પોલીસ ઇન્સ્પેક્ટર, ભાવનગર કોળી સેનાના શહેર પ્રમુખ કાળુ જાંબુચા, તાલુકા પ્રમુખ પેથા આહીર, ભાવનગર જિલ્લાના મહામંત્રી ભૂપત બારૈયા, કિસાન મોરચા સંઘના મહામંત્રી વિનોદ મકવાણા, જે.જે. ગોપનાથવાળા વિષ્ણુકામ્બડ, રાજેશ ફાળકી, અજય ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags:    

Similar News