ભાવનગર : GST વિભાગના ચાર અધિકારીની બદલી, રાજ્યમાં 76 જીએસટી અધિકારીની બદલી કરવામાં આવી

રાજ્યમાં 76 જીએસટી અધિકારીની બદલી કરવામાં આવી ત્યારે ભાવનગરના ચાર જીએસટી અધિકારીની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે

Update: 2023-03-01 07:34 GMT

રાજ્યમાં 76 જીએસટી અધિકારીની બદલી કરવામાં આવી ત્યારે ભાવનગરના ચાર જીએસટી અધિકારીની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે

Full View

રાજ્યમાં વધતા જતા જીએસટી કૌભાંડને લઈને તપાસના ધમધમાટ વચ્ચે ગુજરાત રાજ્ય વેરા કમિશનર સમીર વકીલ દ્વારા રાજ્યના 20 જિલ્લાઓના 76 GST અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદના 18,સુરત 12,વડોદરા 8,ગાંધીધામ 5,ગાંધીનગર 6,મહેસાણા 6, રાજકોટ 3,આંખલેશ્વર 2 કડી,કલોલ,ઉપલેટા, દાહોદ, ડીસા, નડિયાદ,ઊંઝા, પાલનપુર,ગોધરા, વાપી,,નવસારી,જૂનાગઢના એક એક અધિકારીની બદલી કરવામાં આવી અને ભાવનગરના 4 અધિકારીની બદલી કરવામાં આવી છે.ભાવનાગર GST સહાય રાજ્ય વેરા કમિશનર કચેરીમાં ફરજ બજાવતા કે. જે. ગેલોત ,એન.એ. પંડ્યાને નાયબ રાજ્યવેરા કચેરી ભાવનગર ખાતે મોબાઈલ સ્ક્વોડમાં બદલી કરવામાં આવી છે જ્યારે એમ.એમ.પંડ્યાની ગાંધીધામ ખાતે મોબાઈલ સ્ક્વોડમાં તેમજ ભાવનગર નાયબ રાજ્યવેરા કચેરીમાં મોબાઈલ સ્ક્વોડમાં ફરજ બજાવતા ડી.કે.રબારીને સહાય રાજ્યવેરા ડીસા ખાતે બદલી કરવામાં આવી છે.

Tags:    

Similar News