જામનગરની ધરા ધ્રુજી : શહેરમાં 4.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો

રાજ્યમાં એક તરફ સામાન્ય વરસાદની આગાહી વચ્ચે રાજયભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાંજના સુમારે જામનગરની ધારા ધ્રુજી હતી

Update: 2021-08-19 14:38 GMT

રાજ્યમાં એક તરફ સામાન્ય વરસાદની આગાહી વચ્ચે રાજયભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાંજના સુમારે જામનગરની ધારા ધ્રુજી હતી. જામનગરમાં સાંજના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતીકંપના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જામનગર શહેરમાં સાંજે સવા સાત વાગ્યાના અરસામાં ભૂંકપનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4.3 તિવ્રતાનો આંચકો હોય મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, જામનગર શહેરમાં સાંજે 7 અને 13 મિનિટે ધરા ધ્રુજી ઉઠી હતી. સિસ્મોલોજી વિભાગમાં આંચકાની તિવ્રતા 4.3 રિકટર સ્કેલની નોંધવામા આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દૂર નોંધવામા આવ્યું છે. સદનસીબે ભૂકંપના આંચકાના કારણે હજી સુધી કોઈ ખાસ નુકસાનીના સમાચાર નથી આવ્યા. જો કે, લાંબા સમય બાદ 4 રિકટર સ્કેલ કરતા વધુનો આંચકો આવતા શહેરીજનોમાં થોડી વાર માટે ડરનો માહોલ છવાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

Tags:    

Similar News