ગાંધીનગર : આધેડે ઘર નજીકથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટૂંકાવ્યું

મૃતક ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.

Update: 2023-03-28 07:20 GMT

ગાંધીનગરના સેક્ટર - 27 માં રહેતા આધેડે ગઈકાલે સવારના સમયે પોતાનાં ઘર નજીકથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું . કોલવડા ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચે બંસરી ગ્રીન સિટી પાસેથી રેલ્વે ટ્રેક પસાર થાય છે. ગત સવારે આઠ વાગ્યાના અરસામાં પરેશભાઈ ઘરે કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.

જેનાં કારણે તેમના શરીરના ટુકડા થઈ ગયા હતા. આ બનાવના પગલે રેલવે પોલીસ સ્થળ પર દોડી હતી અને રેલવે પોલીસનાં ખેરસિંહ મીણાએ પેથાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસ જમાદાર હુસૈનભાઈ તેમજ કિસનભાઈ સ્થળ ઉપર દોડી ગયા હતા. બીજી તરફ પરેશભાઈનાં આપઘાતની જાણ થતાં પરિવારજનો પણ રેલવે ટ્રેક ખાતે દોડી ગયા હતા. બાદમાં પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પરિવારમાં માતમ છવાયો હોવાથી પરેશભાઈએ ક્યાં કારણસર આપઘાત કર્યો એનું કારણ પોલીસને જાણવા મળ્યું નથી.

Tags:    

Similar News